માણસનું મન એટલે સતત ધમધમતી રહેતી વિચારોની ફેક્ટરી...એ વિચારોને ભેગા કરી એમાંથી રસપ્રદ વાર્તા રચવી મને ગમે છે અને એટલે જ હું લખું છું!
–નિયતી કાપડિયા " નિર્ઝર "
લખવા માટે મારે ક્યારેય પ્રયત્ન નથી કરવો પડતો. એ મારા માટે શ્વાસ લેવા જેટલું સરળ છે. જેમ શ્વાસ ન લઈએ તો જીવ રૂંધાય એમ હું જો ના લખું તો મારો જીવ અકળાય...
–નિયતી કાપડિયા " નિર્ઝર "
ગુજરાતની ધરતીમાંથી
જન્મેલી વાર્તાઓ
બારમી ઓક્ટોબરની વહેલી સવારે સૂરજને સૂતો મેલી એક બાળકીએ કિકિયારી પાડી ત્યારે હોસ્પિટલમાં હાજર કોઈને ખયાલ ન હતો કે એ બાળકી મોટી થઈને નવલકથા લખશે અને એના જન્મની ઘટનાનો અહીં આ રીતે ઉલ્લેખ કરશે.
બાળકીના જન્મ પછી વાત આવી એનું નામ પાડવાની. મમ્મીએ નામ રાખ્યું ‘નિયતિ' અને પપ્પાએ નક્કી કર્યું ‘નિયતી’. નિયતિ એટલે ભાગ્યની દેવી જ્યારે કે નિયતી એટલે મા દુર્ગાનું એક સ્વરૂપ. પપ્પાનું કહેવું હતું કે મારી દીકરી ભાગ્યના ભરોસે બેસી રહેનાર નહીં બને. એ એનું જીવન એની મરજીથી એની શરતો પર જીવશે. આજે એ બાળકી નિયતી વયસ્ક બની ‘નિર્ઝર’ ઉપનામ સાથે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખે છે.
વ્યવસાયે ફાર્માસિસ્ટ અને ડૉ. સૌરભ કાપડિયાના ધર્મપત્ની એવા નિયતી કાપડિયા ‘નિર્ઝર’ સમકાલીન ગુજરાતી સાહિત્યના એવા લેખિકા છે, જેઓ પોતાની ભાવસભર વાર્તાઓ, જીવનને સ્પર્શતા પાત્રો અને માનવીય સંબંધોની ઊંડી સમજ માટે જાણીતા છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં પ્રેમ, લાગણીઓ, આધ્યાત્મિકતા, પારિવારિક સંબંધો અને માનવમનની ગૂંચવણોને અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવે છે. સરળ છતાં અસરકારક ભાષા અને લાગણીઓથી ભરપૂર તેમની લેખનશૈલી આધુનિક ગુજરાતી વાચકોના હૃદયને સ્પર્શે છે.
તેમની નોંધપાત્ર કૃતિઓમાં 'નિયતિ: ક્રિષ્ના અને મુરલીની પ્રેમકથા', ‘કાપાલી: વ્હાઈટ ડવ મેન્ટલ અસાયલમ', 'પ્રીત ના કરિયો કોઈ', '11 ટાસ્ક્સ’ સહિત અનેક નવલિકાઓ અને ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં પ્રેમ, રહસ્ય, આધ્યાત્મિકતા, રોમાંચ અને માનસિક સંઘર્ષનું અનોખું સંયોજન જોવા મળે છે, જેના કારણે તેમની કૃતિઓ અંતિમ પાનું વાંચ્યા પછી પણ લાંબા સમય સુધી વાચકોના મનમાં જીવંત રહે છે.
નિયતિ કાપડિયા માટે લેખન માત્ર મનોરંજનનું સાધન નથી; તેઓ માને છે કે એક સારી વાર્તા વાચકના હૃદયને સ્પર્શી શકે છે, વિચારવા પ્રેરણા આપી શકે છે અને તેને પોતાની અંદર ઝાંખી કરવાની તક આપી શકે છે. તેમની કલમમાં માનવીય લાગણીઓ પ્રત્યેની સંવેદના અને ગુજરાતી ભાષા તથા સાહિત્ય પ્રત્યેનો ઊંડો પ્રેમ સ્પષ્ટપણે ઝળકે છે.
લેખિકા હોવા ઉપરાંત તેઓ એક ઉત્સાહી વાચક પણ છે. સોશિયલ મીડિયા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેઓ પોતાના વાચકો સાથે સતત જોડાયેલા રહે છે. તેમની રચનાઓને વિશ્વભરના ગુજરાતી વાચકો તરફથી સતત પ્રેમ, સ્નેહ અને પ્રશંસા મળતી રહે છે.
કળા
નું વિશ્લેષણ
એક લાગણી છે.
લાગણીસભર ચિત્રણ
શબ્દો દ્વારા જીવંત ચિત્રો સર્જીને વાચકોને વાર્તાના હૃદય સુધી પહોંચાડવાની કળા.
નિખાલસ સંવેદનશીલતા
એવા પાત્રો, જે દુઃખ સહે છે, તૂટી પડે છે અને ફરી ઊભાં થાય છે—બિલકુલ આપણા અંતરમાં છુપાયેલા સંઘર્ષોની જેમ.
Featured Novels
What They Are Saying
Story Categories
ભયાનક કથા
એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.
બાળ કથા
લકી એક નવા મોબાઈલ માટે કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.
સામાજિક કથા
સુહાની કૉલેજથી પાછી આવી કે તરત જ બેઠકખંડમાં બેઠેલા મહેમાનોને જોઈ સહેજ સંકોચાઈ. ઉપરછલ્લી બધા સામે એક નજર કરી, સ્મિત આપી એ અંદર ભાગી ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,
પ્રેમ કથા
કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.
Words from the Heart
A Journey in Ink
પ્રથમ શબ્દોની શરૂઆત
લેખન પ્રત્યેના પ્રેમને શબ્દોનું સ્વરૂપ મળ્યું. આ સમયગાળામાં સર્જનાત્મક સફરની શરૂઆત થઈ અને સાહિત્ય સાથે એક અતૂટ સંબંધ બંધાયો.
નવી ઓળખ, નવી દિશા
વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી લેખનને નવી ઊંચાઈ મળી. અનેક વાર્તાઓ અને લેખો દ્વારા હૃદયની લાગણીઓ લોકોને સુધી પહોંચવા લાગી.
સફળતાના નવા સોપાનો
સર્જનાત્મકતાના નવા આયામો સાથે અનેક કૃતિઓ વાચકો સમક્ષ રજૂ થઈ. આ સફરે માત્ર લેખક તરીકે નહીં, પરંતુ વાચકોના મનમાં એક વિશેષ સ્થાન પણ અપાવ્યું.
સપનાઓને મળેલી ઉડાન
લેખન, નવલકથાઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા વધુ વાચકો સુધી પહોંચવાની તક મળી. દરેક કૃતિ સાથે નવી પ્રેરણા અને નવા અનુભવો જોડાતા ગયા.
કેટલીક વાર્તાઓ શાહીથી લખાય છે. કેટલીક વાર્તાઓ લાગણીઓથી લખાય છે અને એવી વાર્તાઓ જ ક્યારેય મનમાંથી ભૂંસાતી નથી.
નિયતિ કાપડિયા (નિર્ઝર)